વાંકાનેર 108ની સમયસર કામગીરીથી દર્દીનો જીવ બચ્યો
Views 103

વાંકાનેર ગત તા.૧૦ માર્ચ, ૨૦૨૬ ના રોજ વાંકાનેર તાલુકાના જેતપરડા ગામે એક ગંભીર તબિયત બગડેલા દર્દીને સમયસર સારવાર મળતાં જીવ બચી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. ૧૦૮ ઇમરજન્સી સેવા ટીમની ઝડપી કામગીરી અને તબીબી માર્ગદર્શનથી દર્દીની સ્થિતિ સ્થિર કરવામાં સફળતા મળી હતી.
મળતી માહિતી મુજબ, ૪૦ વર્ષીય મુનાભાઈ દામજીભાઈની તબિયત અચાનક બગડતાં ૧૦૮ ઇમરજન્સી સેવાને કોલ કરવામાં આવ્યો હતો. બપોરે આશરે ૧૪:૨૮ કલાકે કોલ મળતાં જ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. તપાસ દરમિયાન દર્દીમાં Hypoglycemia (શરીરમાં સુગરનું જોખમી રીતે ઓછું સ્તર) જોવા મળ્યું હતું. દર્દીનું RBS લેવલ આશરે ૪૦ નોંધાયું હતું તેમજ બ્લડ પ્રેશર પણ ઘટેલું હતું.પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને EMT પ્રવીણભાઈ મેર અને પાયલોટ લાલજીભાઈ પ્રાલિયાએ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. ERCP ના ફિઝિશિયન ડૉ. રુચિના માર્ગદર્શન હેઠળ દર્દીને બંને હાથમાં IV લાઈન મૂકીને જરૂરી પ્રવાહી અને દવાઓ આપવામાં આવી હતી. દર્દીને D25% અને RL 500 ml આપવામાં આવ્યા હતા તેમજ જરૂરી સહાયક દવાઓ પણ આપવામાં આવી હતી.


આ દરમ્યાન એમ્બ્યુલન્સ દ્વારા દર્દીને ઝડપથી વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડૉ. ધારા દ્વારા વધુ સારવાર શરૂ કરવામાં આવી હતી. સમયસર સારવાર મળતાં દર્દીની સ્થિતિમાં સુધારો નોંધાયો હતો.
૧૦૮ ઇમરજન્સી સેવા ટીમની ઝડપી કામગીરીને કારણે દર્દીનો જીવ બચી ગયો હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. સ્થાનિક સ્તરે પણ ટીમના કાર્યની પ્રશંસા કરવામાં આવી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!