ઈંધણ સંકટ વચ્ચે સમજદારી જ સાચો ઉપાય – પ્રજાએ રાખવી શાંતિ અને સંયમ
Views 57

મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવના કારણે ઊભી થયેલી વૈશ્વિક ઈંધણ સંકટની સીધી અસર હવે ભારતના સામાન્ય નાગરિક સુધી પહોંચી રહી છે. ખાનગી ફ્યુઅલ કંપની નયારા એનર્જી દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે લોકોમાં ચિંતા અને અસંતોષ જોવા મળી રહ્યો છે. પરંતુ આવી પરિસ્થિતિમાં સૌથી મહત્વપૂર્ણ બાબત છે – સમજદારી અને શાંતિ. હાલ સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓ અને દેખાદેખી ખરીદીના કારણે અનેક સ્થળોએ પેનિક બાયિંગ જોવા મળી રહ્યું છે. પરિણામે પેટ્રોલ પંપ અને ગેસ ડેપો પર લાંબી કતારો લાગી રહી છે,

જે સમસ્યાને વધુ ગંભીર બનાવે છે. વિશ્વસ્તરે જોવામાં આવે તો હોર્મુઝની સામુદ્રધુની જેવી મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ પર તણાવ વધતા તેલ પુરવઠો પ્રભાવિત થયો છે. પરંતુ આ તાત્કાલિક પરિસ્થિતિ છે, જેને સમય સાથે નિયંત્રિત કરી શકાય છે. આ સંજોગોમાં પ્રજાએ નીચેની બાબતો ધ્યાનમાં લેવી જરૂરી છે:જરૂર જેટલું જ ઈંધણ ખરીદવું અફવાઓ પર વિશ્વાસ ન કરવો


જાહેર વ્યવસ્થાને જાળવવામાં તંત્રને સહકાર આપવો
વિકલ્પ તરીકે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધારવો આવી કટોકટીમાં સંયમ અને સહકાર જ સમાજને મજબૂત બનાવે છે. પ્રજાએ જો સમજદારી દાખવે તો પરિસ્થિતિ ઝડપથી સામાન્ય બની શકે છે. અતિરેક પ્રતિક્રિયા કરતા સંયમિત વલણ અપનાવવું જ આજની સૌથી મોટી જરૂરિયાત છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!