નીલકંઠ મહાદેવ મંદિરમાં ભાવભીનુ ‘શિવ સંકલ્પ યજ્ઞ’ આયોજન
Views 96

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ સંજય નંદેસાણીયા હળવદ

હળવદ નજીક આવેલ પવિત્ર નીલકંઠ મહાદેવ મંદિર ખાતે શ્રદ્ધા અને ભક્તિપૂર્ણ માહોલમાં ‘શિવ સંકલ્પ યજ્ઞ’નું આયોજન કરવામાં આવ્યું છે. સંવત ૨૦૮૨ ફાગણ સુદ સાતમ, તા. 23/02/2026 સોમવારના રોજ સવારે 08:00 થી 12:30 કલાક દરમિયાન યજ્ઞવિધિ યોજાશે.આ મંદિરનું જિર્ણોદ્ધાર વર્ષો પહેલા શ્રદ્ધાળુઓના સહકારથી કરવામાં આવ્યું હતું અને ત્યારથી મંદિર ખાતે નિયમિત રીતે ધાર્મિક સેવાકાર્યો અને પૂજાવિધિઓ યોજાતી રહે છે. યજ્ઞનો મુખ્ય હેતુ સમાજમાં શાંતિ, સુખ-સમૃદ્ધિ અને સદભાવના વધારવાનો છે.યજ્ઞ પૂર્ણ થયા બાદ બપોરે 12:00 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભક્તજનોને પ્રસાદ ગ્રહણ કરવા આમંત્રિત કરવામાં આવ્યા છે. આ પવિત્ર આયોજનમાં મોટી સંખ્યામાં ભાવિકો હાજરી આપી ધર્મલાભ મેળવે તેવી આયોજક પરિવાર દ્વારા ભાવભીની અપીલ કરવામાં આવી છે.
“ૐ નમઃ શિવાય”ના જાપ સાથે આ યજ્ઞ સમાજમાં આધ્યાત્મિક ઉર્જા અને એકતા મજબૂત બનાવશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!