મોદીમય બન્યું ગાયત્રી મંદિર 4399 દિવસની ઐતિહાસિક સેવા નિમિત્તે મહાઆરતીમાં ભક્તિનો મહાસાગર ઉમટ્યો
Views 28

વાંકાનેર ખાતે 10 જૂન, 2026ના રોજ ગાયત્રી મંદિરમાં દેશના પ્રધાનમંત્રી Narendra Modi દ્વારા ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર પ્રધાનમંત્રી તરીકે 4399 દિવસ પૂર્ણ કરવાના અવસરે વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય Jitu Somaniની અધ્યક્ષતામાં યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા.કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુષ્ય, સુખાકારી તથા સમગ્ર દેશની જનતાની અવિરત સેવા કરતા રહે તે માટે વિશેષ પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે મહાઆરતી અને પૂજા-અર્ચનાનો કાર્યક્રમ યોજાતા ઉપસ્થિત સૌ ભક્તિભાવમાં રંગાઈ ગયા હતા.

આ પ્રસંગે વાંકાનેર નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ વોરા, ઉપપ્રમુખ માધવીબેન દવે, અશ્વિનભાઈ રાવલ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, પ્રગનાબા ઝાલા, નગરપાલિકાના સભ્યો તેમજ વિવિધ સંગઠનોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ એકસાથે મહાઆરતીમાં ભાગ લઈ દેશની સમૃદ્ધિ, વિકાસ અને સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
ગાયત્રી મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં સમગ્ર વિસ્તાર ભક્તિ અને રાષ્ટ્રભાવનાના રંગે રંગાઈ ગયો હતો.મહાઆરતી ના ઘંટનાદ અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે યોજાયેલ આ કાર્યક્રમ ધાર્મિક શ્રદ્ધા અને જનસહભાગિતાનું અનોખું ઉદાહરણ બન્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!