કથામાં કરુણા, રક્તદાનમાં જીવનદાન” — મોરબીમાં ભક્તિ સાથે માનવસેવાનો અનોખો મેળાપ
Views 38

મોરબીના સનસીટી ગ્રાઉન્ડ ખાતે પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા, સારંગપુર) ના વ્યાસાસને શ્રી હનુમાન ચાલીસા કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તિભાવથી ઓતપ્રોત આ ધાર્મિક પ્રસંગે માત્ર આધ્યાત્મિક જાગૃતિ જ નહીં, પરંતુ માનવસેવાનો સુંદર સંદેશ પણ પ્રગટ થયો. કથાના પાવન અવસરે સંસ્કાર બ્લડ બેન્ક, મોરબીના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 175 જેટલા રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરીને “ધર્મ સાથે સેવા”નો જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ ઉમદા કાર્યને સફળ બનાવવા માટે શ્રી આનંદભાઈ અઘારા સહિત તમામ યજમાનો, સ્વયંસેવકો અને યુવાન ભાઈ-બહેનોનો અનમોલ સહકાર રહ્યો હતો. તેમની સેવા ભાવનાએ સમગ્ર કાર્યક્રમને યાદગાર બનાવી દીધો. સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના પ્રેરક સદગુરુ પ્રેમ સ્વામી અને સંચાલક શ્રી રમેશભાઈ માકાસણા દ્વારા સંતો, આયોજકો, યજમાનો, રક્તદાતાઓ અને તમામ સહયોગીઓને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ભક્તિ અને સેવા બંનેનું અનોખું સંમિલન જોઈને મોરબી શહેરમાં એક સકારાત્મક સંદેશ પ્રસરી ગયો — “રક્તદાન એ મહાદાન છે, અને માનવસેવા એ જ સચ્ચી ભક્તિ છે.”

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!