ભાવનગર જીલ્લાના માલણકા ગામે માલણકા ખોડીયાર માતાનો 58 મો પાટોત્સવ ભક્તિભાવ સાથે પૂર્ણ
Views 34

ભાવનગર જિલ્લાના માલણકા ગામ ખાતે આવેલ ખોડીયાર માતાના મંદિરે 58 મૉ પાટોત્સવ ભક્તિભાવ સાથે પૂર્ણ થયો.
દવે, પટેલ, ભટ્ટ અને જસપરા શાહ પરિવારના કુળદેવી ખોડિયાર માતાના મંદિરે સવારથી યજ્ઞની શરૂઆત થઈ હતી અને વિશાળ ભક્ત સમુદાયોની હાજરીમાં બપોરના હવનનું બીડું હૉમવામાં માં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત અને ગુજરાત બહારથી અનેક ભક્તો દર્શનાર્થે આવ્યા હતા. મહા મહિનાની નવરાત્રી દરમિયાન દરરોજ માતાજીને પારે ચંડીપાઠના પાઠ કરવામાં આવે છે અને પુનમના દિવસે નવચંડી યજ્ઞનું આયોજન હોય છે.


યજ્ઞના અંતે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અનેક ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના ટ્રસ્ટીઓએ ભારે જાહેર મત ઉઠાવી હતી અને ભક્તજનોએ તન મન અને ધનથી સહકાર આપ્યો હતો.:ભાવનગર અહેવાલ ડો. રોહિત એચ. દવે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!