વાંચનની સુગંધથી મહેકતું વાંકાનેર: પુસ્તક પરબમાં હરૂભા ઝાલાની પ્રેરણાદાયી મુલાકાત
Views 94

વાંકાનેર શહેરમાં વર્ષ 2018થી શિક્ષકો દ્વારા નિસ્વાર્થ ભાવથી શરૂ કરવામાં આવેલ “પુસ્તક પરબ” આજના આધુનિક મોબાઇલ અને કોમ્પ્યુટર યુગમાં પણ વાંચન સંસ્કૃતિને જીવંત રાખી રહ્યું છે. દર મહિનાના પ્રથમ રવિવારે પુલ દરવાજા સ્ટેચ્યુ પાસે જાહેર ફૂટપાથ પર યોજાતા આ પુસ્તક મેળામાં વાંચનપ્રેમીઓની ઉમટી પડતી હાજરી પ્રેરણાદાયી દૃશ્ય સર્જે છે.


તા. 1-3-2026ના રોજ યોજાયેલા પુસ્તક પરબમાં વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ, મિત્ર સ્વભાવના અને સર્વ સમાજ ચિંતક એવા હરિસિંહ ઉર્ફે હરૂભા ઝાલાએ મુલાકાત લીધી હતી. તેમણે વિવિધ સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક મેગેઝીન તથા પુસ્તકોમાં રસપૂર્વક નજર ફેરવી વાંચન સંસ્કૃતિને બિરદાવ્યું હતું.આ પુસ્તક પરબમાં ઉદ્યોગપતિઓ સહિત રાજ્ય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ પણ સમયાંતરે મુલાકાત લઈ શિક્ષકોના આ સેવાકાર્યને અભિનંદન પાઠવી રહ્યા છે. શિક્ષકોની નિષ્ઠા અને સેવાભાવના કારણે આજના ટેકનોલોજીના યુગમાં પણ વાંચનની પરંપરા સતત જળવાઈ રહી છે. વાંચન જ્ઞાનનો પ્રકાશ છે અને આવા પ્રયાસો સમાજમાં સકારાત્મક ચેતના ફેલાવે છે. વાંકાનેરનું પુસ્તક પરબ એ જાગૃત સમાજનું સુંદર પ્રતિબિંબ બની રહ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!