મોરબીમાં નાણાકીય સાક્ષરતા સપ્તાહ અંતર્ગત જાગૃતિ રેલી: સુરક્ષિત બેંકિંગ માટે જનજાગૃતિનો સકારાત્મક સંદેશ
Views 22

મોરબી, : ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા ઉજવાતા ‘નાણાકીય સાક્ષરતા સપ્તાહ’ અંતર્ગત મોરબી શહેરમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર (LDM) મોરબીના સંયુક્ત ઉપક્રમે ગ્રીન ચોકથી પરા બજાર સુધી જાગૃતિ રેલી યોજાઈ હતી. આ રેલીનો મુખ્ય હેતુ નાગરિકોમાં સુરક્ષિત બેંકિંગ અને સાયબર ફ્રોડ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.
ડિજિટલ યુગમાં વધતા ઓનલાઈન વ્યવહારો વચ્ચે ગ્રાહકોને સાવચેત રહેવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બેંકિંગ નિષ્ણાતોએ KYC અને CKYC પ્રક્રિયાની મહત્વતા સમજાવી. સાથે જ બેંક ખાતાની સુરક્ષા, OTP અને ગુપ્ત માહિતી કોઈ અજાણી વ્યક્તિ સાથે શેર ન કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.વિશેષરૂપે ‘મ્યુલ એકાઉન્ટ’ જેવી ગેરકાનૂની પ્રવૃત્તિથી દૂર રહેવા અંગે લોકોને ચેતવણી આપવામાં આવી. બીજાના નાણાકીય વ્યવહારો માટે પોતાનું ખાતું ઉપયોગ કરવા દેવું કાનૂની ગુનો છે અને તેની ગંભીર અસરો પડી શકે છે તે અંગે સ્પષ્ટ સમજણ આપવામાં આવી.
રેલી દરમિયાન સૂત્રોચ્ચાર અને માહિતી પત્રિકાઓ દ્વારા નાગરિકોને સાયબર ઠગાઈ થાય તો તરત સત્તાવાર હેલ્પલાઈનનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી. મોરબીના નાગરિકોએ આ અભિયાનને ઉત્સાહભેર પ્રતિસાદ આપ્યો હતો.


આ કાર્યક્રમમાં SBI ના રીજનલ હેડ શ્રી મોહન કૃષ્ણ, LDM મોરબી શ્રી સાકીર છીપા તેમજ બેંક સ્ટાફ અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.નાણાકીય જાગૃતિ તરફ મોરબીનું આ પગલું સુરક્ષિત અને સશક્ત સમાજ નિર્માણ તરફનું પ્રેરણાદાયક ઉદાહરણ બની રહ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!